This is a registered digital news website ( Call : Editor and publisher Vikas Shah 9638899122)

બાબરઘાટ ખાતે આજથી ‘પલાશ પર્વ-૨૦૨૬’નો પ્રારંભ : વહીવટી તંત્ર દ્વારા આખરી ઓપ અપાયો

ઉરછલ તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના બાબરઘાટ ખાતે રાજ્યના આદિજાતિ વિકાસ મંત્રી અને તાપી જિલ્લાના પ્રભારી મંત્રી નરેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને અને પ્રવાસન રાજ્યમંત્રી ડો. જયરામભાઈ ગામીતની ઉપસ્થિતિમાં આજથી તા. ૨૧-૨૨.૦૨.૨૦૨૬ બે દિવસીય ‘પલાશ પર્વ-૨૦૨૬’ ની ઉજવણી કરાશે. એક દિન પૂર્વે શુક્રવારે પલાશ પર્વના સુચારુ આયોજન – વ્યવસ્થા બાબતે તાપી જિલ્લા કલેક્ટર

best news portal development company in india

તાપી જિલ્લાની ૧૭૧-વ્યારા અને ૧૭૨-નિઝર વિધાનસભા બેઠકોની આખરી મતદારયાદી પ્રસિદ્ધ કરાઈ

વ્યારા ભારતના ચૂંટણી આયોગ, નવી દિલ્હી દ્વારા તા. ૨૭/૧૦/૨૦૨૫ના રોજ ગુજરાત રાજ્યમાં જાહેર કરવામાં આવેલ તા. ૦૧/૦૧/૨૦૨૬ની લાયકાતની તારીખના સંદર્ભમાં, મતદારયાદીનો ખાસ સઘન સુધારણા કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ અંતર્ગત તાપી જિલ્લામાં સમાવિષ્ટ ૧૭૧-વ્યારા (અ.જ.જા) અને ૧૭૨-નિઝર (અ.જ.જા) વિધાનસભા મતવિભાગોની આખરી મતદારયાદી મંગળવાર, તા. ૧૭/૦૨/૨૦૨૬ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવી હતી. જિલ્લાના નાયબ ચુંટણી અધિકારીના જણાવ્યા અનુસાર, મતદાન મથકોના પુનર્ગઠન બાદ તાપી જિલ્લામાં અસ્તિત્વમાં આવેલા કુલ ૬૩૪ મતદાન મથકોમાં, આખરી મતદારયાદી મુજબ કુલ ૪,૭૯,૬૬૫ મતદારો નોંધાયેલા છે. જેમાં ૧૭૧-વ્યારા (અ.જ.જા) વિધાનસભા મતવિભાગમાં ૨,૧૦,૯૬૨ મતદારો અને ૧૭૨-નિઝર (અ.જ.જા) વિધાનસભા મતવિભાગમાં ૨,૬૮,૭૦૩ મતદારો નોંધાયા છે, જેની વિગતો જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા જાહેર કરવામાં આવી છે. મતદારયાદી સઘન સુધારણા કાર્યક્રમની તમામ પ્રક્રિયામાં સહકાર આપનાર જિલ્લાની જાહેર જનતા તથા માન્ય રાજકીય પક્ષોનો જિલ્લા ચૂંટણી અધિકારી અને સમગ્ર ટીમ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે. જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા

1
Vote Now

कोचिंग सेंटर्स में 10वीं तक के स्टूडेंट्स की एंट्री बंद करने का फैसला क्या सही है?