જુનાગઢ

નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની અધ્યક્ષતામાં સાધુ-સંતો અને વહીવટી તંત્ર સાથેની મહત્ત્વપૂર્ણ બેઠકમાં સાંસ્કૃતિક રાજ્ય મંત્રી ડૉ.જયરામ ગામીત, જૂનાગઢ જિલ્લાના પદાધિકારીઓ, યાત્રાધામ તેમજ પ્રવાસન વિભાગના ઉચ્ચ અધિકારીઓ સહિત જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા.
પવિત્ર નાગા સાધુઓની રવેડીનો રૂટ લંબાવવામાં આવ્યો: રવેડી રૂટમાં 500 મીટરનો વધારો કરીને 2 કિ.મી રૂટ કરાયો: રવેડીના દર્શનનો લાભ મહત્તમ શ્રદ્ધાળુઓ લઈ શકશે.
ભગવાન ભોલેનાથની થીમ પર સમગ્ર રૂટનું સુશોભન કરાશે: શાહી સ્નાન સમયે મહાશિવરાત્રી મેળાનું લાઈવ સ્ટ્રીમીંગ કરવામાં આવશે.








