વ્યારા

વાંસ-કલા થકી આત્મનિર્ભરતાની રાહ કંડારતા તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના ગીરાબેન કોટવાડિયા; નવજાગૃતિ સખી મંડળમાં જોડાયા બાદ મેળવી આધુનિક તાલીમ.
વાંસ-કલા સાથે જોડાયેલા ગીરાબેન બજારની માંગ મુજબ ઈનોવેટિવ સુશોભન વસ્તુઓ તેમજ ઓફિસ એસેસરીઝ બનાવે છે, તેઓ છેલ્લાં 15 વર્ષથી પરંપરાગત વાંસકામ સાથે જોડાયેલા છે.
પરંપરાગત કલાને જ્યારે યોગ્ય દિશા, તાલીમ અને પ્રોત્સાહન મળે ત્યારે કલા સમગ્ર સમુદાયની આજીવિકા વધારવાનું સબળ માધ્યમ બની શકે છે.








