જુનાગઢ
જૂનાગઢમાં ગુંજી ઉઠ્યો હર હર મહાદેવ અને જય ભવનાથનો નાદ.
મિનિ કુંભ સમાન ભવનાથના મહાશિવરાત્રિના મેળાનો ભવ્ય અને દિવ્ય પ્રારંભ.
સાધુ-સંતો, ધારાસભ્ય, મેયર, જિલ્લા કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓએ આસ્થાભેર પદયાત્રા-ધ્વજારોહણ કરી મેળાનો પ્રારંભ કરાવ્યો.
આધ્યાત્મિક ચેતનાને ઉજાગર કરતા મહાશિવરાત્રિના મેળામાં આ વર્ષે પ્રથમ વખત અધિકારીઓ-પદાધિકારીઓએ તેમજ સાધુ-સંતોએ ભરડાવાવથી પદયાત્રા કરી હતી.








