રાજકોટ

કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલની પ્રેરક ઉપસ્થિતિમાં રાજકોટ ખાતે “ઊર્જા ક્ષેત્રના સશક્તિકરણ” અંગેના સેમિનારમાં ઊર્જા વિભાગ દ્વારા વિવિધ ક્ષેત્રમાં ₹5.60 લાખ કરોડના MoU કરવામાં આવ્યા
ગુજરાત સરકારના મંત્રીઓ ઋષિકેશભાઈ પટેલ, જીતુભાઈ વાઘાણી, કૌશિકભાઈ વેકરીયાની ઉપસ્થિતિમાં ઊર્જા વિભાગની વિવિધ યોજનાના લાભાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું…
સૌર ઊર્જા ક્ષેત્રના વડાપ્રધાનના વ્યાપક, વિશાળ અને દૂરંદેશી વલણને પરિણામે દેશ ઊર્જા ક્ષેત્રે આત્મનિર્ભર બન્યો છે. સૌર ઊર્જાને પ્રોત્સાહન આપવાની નીતિથી આવનારા સમયમાં પર્યાવરણનું પ્રદૂષણ ઘટશે અને પર્યાવરણની સુરક્ષા થશે : કેન્દ્રીય ઉદ્યોગ અને વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલ











