સોનગઢ વિકાસ શાહ
રમતગમત અને પ્રવાસન રાજ્યમંત્રી ડૉ. જયરામભાઈ ગામીત શનિવારે તાપી જિલ્લાની મુલાકાતે પધાર્યા હતા. આ મુલાકાત દરમિયાન તેઓએ સોનગઢ બસ સ્ટેશન ખાતેથી મુસાફરોની સુવિધામાં વધારો કરતા નવનિર્મિત બસોનું લોકાર્પણ કર્યું હતું.
ઉકાઈથી અંબાજી રૂટ પર મુસાફરોની સવલત માટે બે નવીન ‘ગુર્જર નગરી’ બસો ફાળવવામાં આવી છે. જૂની બસોના સ્થાને હવે મુસાફરો આ બસોમાં આરામદાયક સફર કરી શકશે. મંત્રીશ્રીએ બસ સ્ટેશન પર મુસાફરો સાથે સીધો સંવાદ કર્યો હતો. આ પ્રસંગે તેઓએ એસ.ટી. સ્ટાફ અને મુસાફરોને બસ સ્ટેશન તેમજ બસોમાં સ્વચ્છતા જાળવવા માટે પ્રેરક સંદેશ આપ્યો હતો.







