અમદાવાદ

અમદાવાદ નજીક આવેલ વિશ્વ પ્રસિદ્ધ રામસર સાઈટ નળસરોવર પક્ષી અભયારણ્ય ખાતે પક્ષી વસ્તી ગણતરી અભ્યાસ-2026નું સફળ આયોજન.
પ્રવાસી પક્ષીઓના જતન અને સંરક્ષણ માટે વન વિભાગની સરાહનીય પહેલ; આ દ્વિ-વાર્ષિક અભ્યાસ પ્રવાસી પક્ષીઓના વૈજ્ઞાનિક નિરીક્ષણ માટે ભારતની પ્રતિબદ્ધતાને ઉજાગર કરે છે.
આ વર્ષે યોજાયેલા આ સર્વેમાં અંદાજે 6,42,232 પક્ષીઓની હાજરી નોંધાઈ જે 270 જેટલી વિવિધ પ્રજાતિઓનું પ્રતિનિધિત્વ કરે છે; આ અભ્યાસમાં કુલ 220 પક્ષીવિદો અને ઉત્સાહીઓએ ભાગ લીધો.










