તાપી જિલ્લામાં આગામી ૨૨ જુલાઇના રોજ તાલુકા“સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ” યોજાશે

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

તાપી વ્યારા

સમગ્ર રાજ્યમાં મુખ્યમંત્રીના અભિગમ દ્વારા પ્રજાના પ્રશ્નોનો ઉકેલ લાવવા માટેનો તાલુકા કક્ષાના “સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ”નું આયોજન કરવામાં આવેલ છે. જે અન્વયે તાપી જિલ્લામાં આગામી ૨૨મી જુલાઇ ના રોજ વિવિધ મામલતદાર કચેરીઓ ખાતે તાલુકા સ્વાગત કાર્યક્રમ ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે.

જેમાં ૨૨ જુલાઇના રોજ, કલેક્ટરના અધ્યક્ષસ્થાને મામલતદાર કચેરી, ડોલવણ ખાતે સવારે-૧૧ કલાકે તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાશે,તેવી રીતે જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને મામલતદાર કચેરી ઉકાઈ ખાતે,પોલીસ અધિક્ષક,તાપીના અધ્યક્ષસ્થાને મામલતદાર કચેરી સોનાગઢ ખાતે, પ્રાયોજના વહિવટદાર સોનગઢના અધ્યક્ષસ્થાને મામલતદાર કચેરી નિઝર ખાતે, ડાયરેકટર જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી તાપીના અધ્યક્ષસ્થાને મામલતદાર કચેરી વ્યારા ખાતે, નાયબ કલેક્ટર-૨ ના અધ્યક્ષસ્થાને મામલતદાર કચેરી ઉચ્છલ ખાતે,પ્રાંત અધિકારી વ્યારાના અધ્યક્ષસ્થાને મામલતદાર કચેરી વાલોડ ખાતે, પ્રાંત અધિકારી નિઝરના અધ્યક્ષસ્થાને મામલતદાર કચેરી કુકરમુંડા ખાતે તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાશે. એમ તાપી જિલ્લા કલેક્ટર તાપી-વ્યારાની અખબારી યાદીમાં જણાવ્યું છે.

Leave a Comment

और पढ़ें