અંબાજી

સુપ્રસિદ્ધ અંબાજી મંદિર હવે શ્રદ્ધાળુઓ માટે ડિજિટલ બન્યું; યાત્રિકો માટે દર્શનના સમયથી લઈને પ્રસાદ બુકિંગ સુધીની તમામ સુવિધા મોબાઈલ એપ પર ઉપલબ્ધ કરાશે…
બનાસકાંઠા જિલ્લાના કલેક્ટર મિહિર પટેલના હસ્તે અત્યાધુનિક મોબાઈલ એપ લોન્ચ કરાઈ, જે ગૂગલ પ્લે સ્ટોર અને એપલ આઈ સ્ટોર પર ઉપલબ્ધ કરાવાઈ છે…
આ મોબાઈલ એપ થકી યાત્રાધામ અંબાજી ખાતે યાત્રિકો માટે દર્શનનો સમય, જનરલ ડોનેશન, સુવર્ણ શિખર દાન, ભોજનાલય માટેનું દાન, પ્રસાદનું ઓનલાઇન બુકિંગ અને ઈ-સ્ટોર જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાશે…









