વ્યારા
તાપી જિલ્લાના કટાસવાણ ગામ ખાતે અંદાજિત રકમ રૂ.૨૫ લાખના ખર્ચે નિર્માણ થનાર કોઝવે તેમજ અંદાજિત રકમ રૂ.૨૨ લાખના ખર્ચે નિર્માણ થનાર ગ્રામ પંચાયત ભવનના કામનું વિધિવત ભૂમિપૂજન રાજ્યમંત્રી ડૉ. જયરામભાઈ ગામીતના હસ્તે કરવામાં આવ્યું હતું.
આ બંને વિકાસકાર્યો પૂર્ણ થતાં ગ્રામજનોને આવાગમન સુવિધા તેમજ ગ્રામ પંચાયતની કાર્યક્ષમતા અને વહીવટી પ્રક્રિયા પારદર્શક અને વેગવાન બનશે.








