પોરબંદર
સંસ્કૃતિ અને વિરાસતની ઉજવણી,
શ્રદ્ધા, પ્રેમ અને આનંદનો ઉત્સવ…


ભગવાન શ્રીકૃષ્ણ અને રુક્મિણીજીના લગ્નની સ્મૃતિમાં ઉજવાતા સુપ્રસિદ્ધ માધવપુર ઘેડના મેળાનો તા.27 માર્ચ 2026ના રોજ થશે પ્રારંભ…
માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દિશાદર્શનમાં રાષ્ટ્રીય બહુમાન પામેલા આ પાંચ દિવસીય મેળામાં ઉત્તર પૂર્વ અને ગુજરાતના 600 જેટલા કલાકારોની સાંસ્કૃતિક પ્રસ્તુતિ, 650થી વધુ ખેલાડીઓની બીચ રમતો, ઉત્તર પૂર્વ -ગુજરાતના હસ્તકલા કારીગરોની કારીગરી અને રોજ રાત્રે લોક ડાયરો- ભજન કીર્તન પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે…









