વ્યારા
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા આગામી તા. ૨૯/૦૩/૨૦૨૬ ના રોજ સવારે ૧૦:૦૦ થી બપોરના ૧૭:૦૦ કલાક દરમિયાન ગુજકેટ (GUJCET) ની પરીક્ષા યોજાનાર છે.
આ પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ, તેમના વાલીઓ અને શાળાઓને જરૂરી માર્ગદર્શન મળી રહે તેમજ પરીક્ષાને લગતી મૂંઝવણો દૂર થાય તે હેતુથી તાપી જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી, વ્યારા દ્વારા એક ખાસ ટોલ-ફ્રી હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવ્યો છે.
ટોલ ફ્રી હેલ્પલાઈન નંબર (૦૨૬૨૬) ૨૨૧૬૨૪ પર તા. ૨૭ થી ૨૯ માર્ચ, ૨૦૨૬ દરમિયાન સવારે ૦૭:૦૦ કલાકથી રાત્રે ૦૯:૦૦ કલાક સુધી ગુજકેટની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓએ કોઈપણ પ્રશ્ન કે માર્ગદર્શન માટે આ હેલ્પલાઇન નંબરનો લાભ લેવા જિલ્લા શિક્ષણાધિકારી, વ્યારા-તાપી દ્વારા એક અખબારી યાદીમાં જણાવાયું છે.







